પ્રા.ડૉ.મીના એસ. વ્યાસ
સંસ્કૃત વિભાગાધ્યક્ષ
શ્રીમદ્ ભગવદગીતા
(અધ્યાય – ૧ થી ૬)
શ્રીમદ્ ભગવદગીતા (અધ્યાય – ૧, ૨)
પ્રશ્ન:-૧ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)
સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)
ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે)
(૧) અર્જુન વિષાદ યોગ
- શ્રી કૃષ્ણ માનવમનની વિલક્ષણતા જાણનાર
- મોહના કારણે વિષાદ થવો.
- આપણે નિમિત્તમાત્ર-સ્વધર્મ બજાવવાનો
- જ્ઞાન જિજ્ઞાસા વિના ન મળે
- પ્રણામ, પ્રશ્નોનું નિરાકરણ, સેવા ભાવ-ગુરૂ પાસેથી જ્ઞાન મળે છે.
- અર્જુન માનવજીવનની એક વિશિષ્ટ અવસ્થાનું પ્રતીક છે.
- ગીતાનો પ્રધાન ઉપદેશ કર્મયોગ
(૨) આત્માની અમરતા
- આત્મા અને દેહ વચ્ચે તફાવત છે.
- આત્મા – નિત્ય, સનાતન, અવિનાશી
- જીવનમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃધ્ધાવસ્થા આવે
- મૃત્યુ એ સ્વાભાવિક પ્રક્રિયા છે.
- ઉપનિષદો પણ આત્માને અજર, અમર કહે છે.
- વ્યક્તિએ સમષ્ટિનો ખ્યાલ કરવો
- મૃત્યુથી શોકગ્રસ્ત ન બનવું તે સમજાવવાનું પ્રથમ કર્તવ્ય છે.
(૩) સ્થિતપ્રજ્ઞના લક્ષણો
- સ્થિતપ્રજ્ઞ કર્મયોગીનું ચિત્ર આપે છે.
- કર્મયોગીની બુધ્ધિ સ્થિર હોય તો જ ફળ નિરપેક્ષભાવ થાય છે.
- સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો – કામનાઓનો ત્યાગ, સુખ-દુ:ખથી મુક્તિ, ક્રોધરહિત, નિર્ભયી, નિજાનંદ છે.
- જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયને વશમાં રાખે છે.
- મનને વશ કરવાથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
(૪) સાંખ્યબુધ્ધિ અને યોગબુધ્ધિ
- આત્માનું અમરત્વ, જન્મ-મૃત્યુની ઘટમાળ અને અર્જુન માટે યુધ્ધની અનિવાર્યતા
- આ ત્રણ બાબતોના નિરૂપણ માટે શ્રી કૃષ્ણે સાંખ્ય બુધ્ધિ અને યોગબુધ્ધિ શબ્દ પ્રયોજ્યો છે.
- સાંખ્ય એટલે સમજણ, જ્ઞાન
- કાયમ રહેવાનું નથી તેનો શોક ન કરવો સાંખ્ય કહે છે.
- યોગબુધ્ધિ એટલે નિષ્કામ કર્મયોગ
- યોગ: કર્મસુ કૌશલમ્ અને સમત્વં યોગ ઉચ્યતે આ બંને કર્મયોગની આધારશીલા છે.
પ્રશ્ન:-૧ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)
અધ્યાય – ૧ શ્લોક નં. ૧, ૧૫, ૩૧
અધ્યાય – ૨ શ્લોક નં. ૧૧, ૧૩, ૨૦, ૨૭, ૩૭, ૪૭
યુનિટ – ૨
શ્રીમદ્ ભગવદગીતા (અધ્યાય – ૩, ૪)
પ્રશ્ન:- ૨ (અ) શબ્દ નોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)
સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)
શબ્દ નોંધ લખો. (ચારમાંથી બે)
(૧) ચાતુર્વણ્યમ્
- ગીતાકારે ગુણ-કર્મ આધારિત ચાર વર્ણની વાત કરી છે.
- સંસારમાં સત્વ, રજસ, તમસ એ ત્રણ ગુણોના આધારે પ્રાણીમાત્રના સ્વભાવ
- મયા સૃષ્ટમ્-જીવમાત્ર ઈશ્વર સાથે જોડાયેલ છે.
(૨) જ્ઞાન-વિજ્ઞાન
- કામ દ્વારા જ્ઞાન ઢંકાઈ જાય છે.
- જ્ઞાનની વિશુધ્ધિથી જ મોક્ષ પ્રાપ્તિ થાય છે.
- ઈશ્વરને પામવારૂપી વિશેષ જ્ઞાન (વિજ્ઞાન) પામી શકાય.
(૩) યજ્ઞ ચક્ર
- યજ્ઞ એટલે ત્યાગ
- મમત્વનો ત્યાગ એ યજ્ઞભાવનું હાર્દ છે.
- યજ્ઞમાં વૈશ્વિક ભાવના છે.
- યજ્ઞ એ માણસનું આધ્યાત્મિક સત્ય છે.
- અહીં દ્રવ્ય, તપ, સ્વાધ્યાય, યોગ, જ્ઞાન વગેરે યજ્ઞોની વાત કરવામાં આવી છે.
(૪) લોકસંગ્રહ
- લોકસંગ્રહ એટલે લોકકલ્યાણ
- પ્રજાને જેના વડે બાંધીને એકત્ર, એકસાથે રાખી શકાય તે લોકસંગ્રહ એટલે લોકકલ્યાણ
- પ્રજાને જેનાથી નેતૃત્વ પૂરૂ પાડી શકાય તે લોકસંગ્રહ
(૫) કર્મ-અકર્મ-વિકર્મ
- ગહના કર્મણો ગતિ:
- કર્મ, અકર્મ, વિકર્મ ત્રણ પ્રકારના કર્મો
- કર્મ અનિવાર્ય હોવા છતાં કર્મબંધનથી છૂટવાનો માર્ગ પણ શોધવો પડે.
- જેમકે સાચું બોલવું તે કર્મ, કાંઈ ન બોલવું તે અકર્મ, અને જુઠુ બોલવું તે વિકર્મ
- જગતની ગ્રાહ્ય અને અગ્રાહ્ય બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
(૬) અવતારવાદ
- સમગ્ર જગતનું સંચાલન કોઈ અગમ્ય તત્વ કરે છે.
- એ પરમતત્વને સંસાર ધર્મ અને ન્યાયના માર્ગે ચાલે તેમાં રસ છે.
- તેથી તે વારંવાર પૃથ્વી પર અવતાર લે છે.
- ઈશ્વર પોતાની માયા વડે જન્મ ધારણ કરે છે.
- ઈશ્વરનો જન્મ દિવ્ય જન્મ છે.
- ઈશ્વરના અવતારનું પ્રયોજન-સજ્જનોનું સંરક્ષણ, પાપીઓનો વિનાશ અને ધર્મની સ્થાપના
પ્રશ્ન:-૨ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)
અધ્યાય – ૩ શ્લોક નં. ૧૫, ૪૨
અધ્યાય – ૪ શ્લોક નં. ૭, ૧૩, ૧૭, ૨૮, ૨૯, ૩૭, ૩૮
યુનિટ – ૩
શ્રીમદ્ ભગવદગીતા (અધ્યાય – ૫, ૬)
પ્રશ્ન:-૩ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે)
સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)
ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)
(૧) સંન્યાસ અને કર્મયોગની એકવાક્યતા
- ચતુર્થ અધ્યાય-સંન્યાસ માર્ગ અને કર્મમાર્ગ
- સંસાર કર્મમાર્ગનો છે.
- સંન્યાસ માર્ગ માટે સમત્વ બુધ્ધિ જરૂરી બને છે.
- બંને માર્ગ મોક્ષનાં અધિકારી છે.
- ફળ અને સંકલ્પોને ત્યાગ એટલે યોગી
- આત્મકલ્યાણ અને લોકકલ્યાણ એ જ જીવનકલા
(૨) ધ્યાનયોગ
- છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ
- મનને સ્થિર કરવું જરૂરી છે.
- કર્મયોગીએ આત્મા અને ચિત્ત પર કાબૂ મેળવવો જોઈએ.
- મન વશ થતાં આત્મખોજ થાય છે.
- આત્મદર્શનથી પરમ શાંતિની પ્રાપ્તિ
- શ્લોક નં. ૬/૩૫
- જગતના પદાર્થોથી પર જવું એટલે વૈરાગ્ય
(૩) યોગભષ્ટની સ્થિતિ (યોગારૂઢ)
- કર્મયોગ સાધનામાં નિષ્ફળ જનારની અવનતિ થતી નથી.
- પૂર્વ જન્મના સંસ્કાર વ્યક્તિને આ જન્મમાં પણ કર્મયોગની સાધના કરાવે છે.
- કલ્યાણમય કાર્ય કરનારનો કદીપણ વિનાશ થતો નથી.
(૪) અભ્યાસેન્ તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહયતે I
- અભ્યાસ એટલે કોઈપણ એક વસ્તુ માટે કરવામાં આવતો સતત પ્રયત્ન
- મન ચંચળ છે.
- મનને વિષયોમાંથી ખેંચવા સતત પ્રયત્ન કરવો પડે છે.
- મનને ઈચ્છિત દિશા તરફ વાળવું એટલે અભ્યાસ
- અભ્યાસ અને વૈરાગ્ય પૂરક બનીને મનને વશ કરે છે.
પ્રશ્ન:- ૩ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો. (૦૪)
અધ્યાય – ૫ શ્લોક નં. ૧૩, ૧૬, ૧૮, ૨૪
અધ્યાય – ૬ શ્લોક નં. ૩, ૫, ૮, ૩૫, ૪૦, ૪૫, ૪૬
યુનિટ – ૪
ગીતાનું મનોવિજ્ઞાન – પારિવારિક પ્રબંધનનું સ્વરૂપ
– સામાજિક પ્રબંધનની પ્રક્રિયા – માનવધર્મ તરીકે ગીતાના વિચારો
સામાન્ય પ્રશ્ન અથવા સામાન્ય પ્રશ્ન (૧૪)
(સેલ્ફ સ્ટડી)
પ્ર:- ગીતાનું મનોવિજ્ઞાન સમજાવો
પ્ર:- ગીતામાં પારિવારીક પ્રબંધનનું સ્વરૂપ સમજાવો.
પ્ર:- ગીતામાં સામાજિક પ્રબંધનની પ્રક્રિયા સમજાવો
પ્ર:- માનવધર્મ તરીકે ગીતાના વિચારો જણાવો..
No comments:
Post a Comment